સ્ટાઇલ

સ્ટાઇલ

સ્ટાઇલ

શેક્સપીયરનું સૌપ્રથમ નાટક તે સમયની પરંપરાગત સ્ટાઇલમાં લખાયું હતું.તેઓ લેખનપ્રવાહ હંમેશા કુદરતી ન હતો, પણ પાત્રો કે નાટકની જરૂરિયાત મુજબ રહેતો હતો, આમ તેઓ સ્ટાઇલીશ ભાષામાં લખતા હતા.કવિતાનો આધાર વ્યાપ પર અને કેટલીક વખત તેમાં રૂપક અને ઉત્પ્રેક્ષા જોવા મળતા હતા તથા ભાષા ઘણી વખત અલંકારિક હતી જેને ઘણી વખત અભિનેતાઓ સામાન્ય રીતે બોલવાના બદલે આવેશપૂર્વક મોટા અવાજે બોલતા હતા. કેટલાક વિવેચકોના મતે ટાઇટસ એન્ડ્રોનિકસ (Titus Andronicus)ની ગ્રાન્ડ સ્પીચ વારંવાર ક્રિયાને થંભાવી દેતી જોવા મળી છે, ઉદાહરણ તરીકે જોઈએ તો ટુ જેન્ટલમેન ઓફ વેરોના (Two Gentlemen of Verona)માં ટૂંકી કવિતાને વધુ પડતી ભપકાદાર મનાય છે.

આમ છતાં શેક્સપીયરે તેના પોતાના હેતુઓ માટે પરંપરાગત સ્ટાઇલ્સને સ્વીકારવાનું શરૂ કર્યું હતું. રિચાર્ડ-3 (Richard III)ના પ્રારંભની સ્વગતોક્તિના (soliloquy) મૂળ મધ્યયુગીન નાટક વાઇસ (Vice)ના સ્વગત જાહેરનામામાં છે.આ જ સમયે રિચાર્ડની તીવ્ર આત્મજાગૃતિ શેક્સપીયરના પરિપક્વ નાટકોની સ્વગતોક્તિને આગળ લઈ જાય છે.તેના કોઈપણ નાટકમાં પરંપરાગત શૈલીથી વિપરીત મુક્ત શૈલી જોવા મળી નથી. શેક્સપીયરે તેની કારકિર્દી દરમિયાન રોમિયા એન્ડ જુલિયટ (Romeo and Juliet)ની જેમ હંમેશા બેનું મિશ્રણ જારી રાખ્યું છે, કદાચ તે શૈલીના મિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.1590ની મધ્યમાંરોમિયો એન્ડ જુલિયટરિચાર્ડ-2 (Richard II) અને અ મિડસમર નાઇટ્સ ડ્રીમ (A Midsummer Night’s Dream) લખવાની સાથે શેક્સપીયરે વધુને વધુ સ્વયંસ્ફૂરિત કાવ્યો લખવાનું શરૂ કર્યું હતું.તેમણે તેમના રૂપકો અને પ્રતિકોને નાટકની જરૂરિયાત મુજબનું સ્વરૂપ આપ્યું.

વિલિયમ બ્લેકની (William Blake) 1795ની

કરૂણાંતિકા ટેટ બ્રિટન (Tate Britain)મેકબેથમાં બે સિમિલીઝનું ઉદાહરણ આપે છેઃ “એન્ડ પિટી, લાઇક અ નેક્ડ ન્યુ-બોર્ન બેબ, / સ્ટ્રાઇડિંગ ધ બ્લાસ્ટ, ઓર હેવન્સ ચેરુબિમ, હોર્ડ્સ / અપોન ધ સાઇટલેસ કુરિયર્સ ઓફ ધ એર”.

શેક્સપીયરની કવિતાનું સર્વસામાન્ય સ્વરૂપ પ્રાસ વિનાના પદ્ય (blank verse)નું હતુ, જેને પંચ યુગ્માક્ષરી (iambic pentameter) ચરણ પર કમ્પોઝ કરવામાં આવતી હતી.આનો અર્થ એમ થાય કે આ વર્સ સામાન્ય રીતે રીધમ વગરના હતા અને લાઇનના દસ સસ્વરથી રચાયેલા હતા. તેમાં બોલતી વખતે દરેક બીજા સસ્વર પર ભાર મૂકવામાં આવતો હતો. આમ પ્રારંભિક દિવસોમાં પ્રાસ વિનાના પદ્ય પાછળના સમય કરતાં થોડા અલગ હતા. તે ઘણી વખત અત્યંત સુંદર હતા, પરંતુ તેના વાક્યોમાં શરૂઆતમાં વિરામ આવતો હતો અને તે લીટીના અંતે (end of lines) સમાપ્ત થતા હતા, તેમાં વૈવિધ્યહીનતાનું જોખમ હતું.શેક્સપીયર એક સમયે પરંપરાગત પ્રાસ વિનાના પદ્યમાં નિષ્ણાત હતો, તેણે પછી અવરોધ લાવવાનું અને તેના પ્રવાહમાં વૈવિધ્યતા લાવવાની શરૂઆત કરી. આ ટેકનિકના લીધે જુલિયસ સીઝર (Julius Caesar)અને હેમ્લેટ (Hamlet) જેવા નાટકોમાં તેની કવિતામાં એક નવી ઊંચાઈ અને સ્થિતિસસ્થાપકતા જોવા મળી હતી. શેક્સપીયર આ ટેકનિકનો બખૂબીથી ઉપયોગ કરતો હતો, ઉદાહરણ તરીકે હેમ્લેટના મગજમાં ચાલતા તુમુલ સંઘર્ષને તેણે સારી રીતે દર્શાવ્યો છે.

સાહેબ મારા હૃદયમાં જાણ એક પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો છે
તેના લીધે હું સૂઈ શકતો નથી. મેથોટ આઇ લે
વર્સ ધેન ધ મ્યુટિન્સ ઇન ધ બિલ્બોસઅધીરું-
અધીરાપણાની પ્રશંસા- ચાલો આપણે જાણીએ
આપણો અવિવેક ઘણી વખત આપણ માટે સારો નીવડે છે…

હેમલેટ બાદ શેક્સપીયરે તેની કવિતાની સ્ટાઇલને વધુ વૈવિધ્યસભર બનાવી, તેમાં પણ ખાસ કરીને પાછળની કરૂણાંતિકાઓમાં લાગણીજન્ય બાબતોને વધારે પ્રાધ્રાન્ય આપ્યુંસાહિત્ય વિવેચક એ સી બ્રેડલી (A. C. Bradley)એ આ શૈલીને વધારે એકાગ્રતાવાળી, ઝડપી, વૈવિધ્યસભર અને બાંધણીની રીતે ઓછી પ્રચલિત તથા અધ્યાહાર વગરની ગણાવી હતી.તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં શેક્સપીયરે આ અસર હેઠળ અનેક ટેકનિક્સ અપનાવી.તેમાં લીટી પર વારંવાર પાછા આવવુ (run-on lines), અનિયમિત વિરામો અને વિરામચિન્હો તથા વાક્યની સંરચના તથા લંબાઈમાં જબરજસ્ત વૈવિધ્યનો સમાવેશ થાય છે.ઉદાહરણ તરીકે જોઈએ તો મેકબેથ (Macbeth)માં એક અસંલગ્ન રૂપકમાંથી ભાષાની ઝડપી હિલચાલ અથવા એકબીજા સાથે સરખામણીઃ”હોપ પીધેલો હતો/ તમારા કપડામાં તમે ક્યાં છો?(1.7.35-38),”…નવા જન્મેલા નગ્નબાળકની જેમ દયનીય/કર્કશ અવાજવાળુ, અથવા સ્વર્ગનું ચેરુબિમ, હોર્ડ્સ/ અપોન ધ સાઇટલેસ કુરિયર્સ ઓફ ધ એર…”(1.7.21–25).આ સાંભળનારને પડકાર છે કે ઉપરોક્ત વાક્યનો અર્થ પ્રતિપાદિત કરે.પછીના રોમાન્સમાં સમયમાં ફેરફાર જોવા મળતો હતો અને તેના પ્લોટ પણ આશ્ચર્યજનક હતા. તેમાં કાવ્યત્મક શૈલીમાંથી પ્રેરણા લેવામાં આવી હોય તેમ લાગે છે. આ શૈલીમાં લાંબા અને ટૂંકા વાગ્યોનો સેટ એકબીજા સામે ગોઠવાય છે, ઉપવાક્યોનો ઢગલો થાય છે, વિષય અને કર્મ ઉલ્ટાઈ જાય છે તથા શબ્દોની બાદબાકી થાય છે, આમ સ્વસ્ફૂરણાની અસર ઊભી થતી જોવા મળે છે.

શેક્સપીયર થીએટરની પ્રેક્ટિકલ સમજ ધરાવતો શ્રેષ્ઠ કવિ હતો.તે સમયના બીજા નાટકોની જેમ શેક્સપીયર પેટ્રાર્ચ (Petrarch) અને હોલિન્શ્ડ (Holinshed) જેવા સ્ત્રોતોમાંથી મળતી વાર્તાઓને નાટકીય સ્વરૂપ આપતો હતો.તે કથાવસ્તુના દરેક હિસ્સાને નવો આયામ આપી રસકેન્દ્ર ઊભા કરતો હતો અને પ્રેક્ષકોને તેના ઉદ્દબોધનના શક્ય તેટલા વધારે પાસા બતાવતો હતો. આલેખનની આ શક્તિના લીધે જ શેક્સપીયરના નાટક ભાષાંતર, કાપકૂપી અને મુખ્ય નાટકના હિસ્સાને ગુમાવ્યા વગર વ્યાપક પણે થતી વ્યાખ્યામાં પણ ટકી શક્યા છે.શેક્સપીયરની નિપુણતા વિકસવાની સાથે તેણે તેના પાત્રોને વધારે સ્પષ્ટ અને વૈવિધ્યસભર ધ્યેયવાળા બનાવ્યા અને બોલવાની જુદી-જુદી ઢબ દ્વારા તેમની અલગ છાપ ઉપસાવી. તેણે પાછળના નાટકોમાં પ્રારંભિક શૈલીના પાસાને જાળવી રાખ્યા હતા, આમ છતાં તેના છેલ્લા રોમાન્સ(late romances)માં તે સ્વતંત્ર રીતે પાછો વધારે કુત્રિમ શૈલી પર પાછો ફર્યો છે. જેમાં થીએટરની ભ્રમણા પર ભાર મૂકાયો છે.